ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ બંધને સફળ બનાવવા બદલ શક્તિસિંહ ગોહિલે જાહેર જનતાનો આભાર માન્યો - Shaktisinh Gohils reaction

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 4:43 PM IST

અમદાવાદઃ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા જે ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થતો હોવાથી કોંગ્રેસ દ્વારા અડધા દિવસનું બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેથી મૃતકોને ન્યાય મળે અને તેની આત્માને શાંતિ મળે તેના માટે રાજકોટના વેપારીઓને કોંગ્રેસે અપીલ કરી હતી. જેના ભાગરૂપે આજે સવારથી જ રાજકોટની મુખ્ય બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને કોંગ્રેસના આગેવાનો પણ લોકોને વિનંતી કરી અને બંધમાં જોડાવા માટે મુખ્ય બજારોમાં જોવા મળ્યા હતા. કેટલાક વેપારી સંગઠનોએ આ બંધને સમર્થન પણ આપ્યું હતું તો કેટલીક ખાનગી શાળાઓ અને કોલેજો પણ સ્વયંભૂ આ બંધમાં જોડાઈ હતી. રાજકોટ બંધને સફળ બનાવવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેર જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, આપ સૌએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું અને રાજકોટને જડબેસલાક બંધ રાખ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર.  

ABOUT THE AUTHOR

...view details