ETV Bharat / state

સિટીલાઇટ આગ દુર્ઘટનામાં સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા - SURAT CRIME NEWS

સુરત સિટીલાઇટ સ્થિત જિમ અને સ્પામાં આગ લાગવાની દુર્ઘટનામાં ત્રણ આરોપીઓના સેશન્સ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
ત્રણ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 11:00 PM IST

સુરત: શહેરના સિટીલાઈટના શિવપૂજા કોમ્પ્લેક્સમાં આગમાં બે મહિલાઓના ગૂંગળામણના કારણે મોત નીપજ્યાં હતા. ઉધનાની અંબર કોલોનીમાં રહેતો વસીમ ચૌહાણ અને ત્યારબાદ અડાજણ પાટિયા પાસે સ્ટેસ એપાર્ટમેન્ટમાં રહેતો શાહનવાઝ હારૂન મિસ્ત્રીની આ ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ બંને ભાગીદારીમાં જિમ ચલાવતા હતા. આ જ જિમમાં મેઝેનાઈન ફ્લોર શરૂ કરીને દિલશાદ ઉર્ફે અરમાન સલીમખાન ભાડેથી એલ-એફ હેર બ્યૂટી લોન્જ નામથી સલૂન અને સ્પા ચલાવતો હતો. ઉમરા પોલીસે તેઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

જો કે, સેશન્સ કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરતા ઉમરા પોલીસે સેશન્સ કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે રિવિઝન અરજી કરી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ રિમાન્ડ આપવા દલીલો કરી હતી, જયારે આરોપીઓ તરફે એડવોકેટ ઝફર બેલાવાલા અને વિનય શુક્લાએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ નીચલી કોર્ટનો હુકમ રદ્દ કરીને ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

સિટીલાઇટ આગ દુર્ઘટનામાં અપડેટ (Etv Bharat Gujarat)

કોર્ટે રિવિઝન અરજીના હુકમમાં લખ્યું હતું કે, 'આરોપીઓ સામેના ગુનાની યોગ્ય તપાસ થાય તે જરૂરી છે, પોલીસ પૂરતી તપાસ કરે તો મહત્ત્વની કડી મળી શકે તેમ છે. મિલકત ભાડે આપી છે તે વિગત પોલીસમાં જણાવી છે કે નહીં.?, આરોપીઓએ મિલકતમાં લીધેલું વીજ કનેક્શન, ફાયર વિભાગની એનઓસી તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની તપાસ કરવા માટે આરોપીઓની હાજરીની જરૂર છે. તેમ ટાંકીને કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા.'

ડીસીપી વિજય ગુર્જરે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'અગ્નિકાંડની તપાસમાં બેંક અકાઉન્ટ, મહાનગર પાલિકાનો રિપોર્ટ હજી પેન્ડીંગ છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ સચોટતા બહાર આવશે.'

આ પણ વાંચો:

  1. પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગયેલો સુરતનો બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી ઝડપાયો
  2. નવસારી: PI લાંચમાં iPhone 16 લેતા ACBના છટકામાં પકડાયા, થોડા સમયમાં નિવૃત્ત થવાના હતા

સુરત: શહેરના સિટીલાઈટના શિવપૂજા કોમ્પ્લેક્સમાં આગમાં બે મહિલાઓના ગૂંગળામણના કારણે મોત નીપજ્યાં હતા. ઉધનાની અંબર કોલોનીમાં રહેતો વસીમ ચૌહાણ અને ત્યારબાદ અડાજણ પાટિયા પાસે સ્ટેસ એપાર્ટમેન્ટમાં રહેતો શાહનવાઝ હારૂન મિસ્ત્રીની આ ઘટનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ બંને ભાગીદારીમાં જિમ ચલાવતા હતા. આ જ જિમમાં મેઝેનાઈન ફ્લોર શરૂ કરીને દિલશાદ ઉર્ફે અરમાન સલીમખાન ભાડેથી એલ-એફ હેર બ્યૂટી લોન્જ નામથી સલૂન અને સ્પા ચલાવતો હતો. ઉમરા પોલીસે તેઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

જો કે, સેશન્સ કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરતા ઉમરા પોલીસે સેશન્સ કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે રિવિઝન અરજી કરી હતી. જેમાં મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ રિમાન્ડ આપવા દલીલો કરી હતી, જયારે આરોપીઓ તરફે એડવોકેટ ઝફર બેલાવાલા અને વિનય શુક્લાએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ નીચલી કોર્ટનો હુકમ રદ્દ કરીને ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.

સિટીલાઇટ આગ દુર્ઘટનામાં અપડેટ (Etv Bharat Gujarat)

કોર્ટે રિવિઝન અરજીના હુકમમાં લખ્યું હતું કે, 'આરોપીઓ સામેના ગુનાની યોગ્ય તપાસ થાય તે જરૂરી છે, પોલીસ પૂરતી તપાસ કરે તો મહત્ત્વની કડી મળી શકે તેમ છે. મિલકત ભાડે આપી છે તે વિગત પોલીસમાં જણાવી છે કે નહીં.?, આરોપીઓએ મિલકતમાં લીધેલું વીજ કનેક્શન, ફાયર વિભાગની એનઓસી તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટની તપાસ કરવા માટે આરોપીઓની હાજરીની જરૂર છે. તેમ ટાંકીને કોર્ટે આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતા.'

ડીસીપી વિજય ગુર્જરે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'અગ્નિકાંડની તપાસમાં બેંક અકાઉન્ટ, મહાનગર પાલિકાનો રિપોર્ટ હજી પેન્ડીંગ છે. રિપોર્ટ આવ્યા બાદ વધુ સચોટતા બહાર આવશે.'

આ પણ વાંચો:

  1. પોલીસ માટે માથાનો દુ:ખાવો બની ગયેલો સુરતનો બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી ઝડપાયો
  2. નવસારી: PI લાંચમાં iPhone 16 લેતા ACBના છટકામાં પકડાયા, થોડા સમયમાં નિવૃત્ત થવાના હતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.