માંગરોળ દરિયાકિનારે 'મહા' વાવાઝોડાને લઇને તંત્ર થયું સજ્જ
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4973562-thumbnail-3x2-magrol.jpg)
જૂનાગઢ: માંગરોળ દરિયાકિનારે 'મહા' વાવાઝોડાની આગાહીને લઇને મામલતદાર અને ડેપ્યુટી કલેકટરની ટીમ દ્વારા દરિયા કાંઠાના 17 ગામોની મુલાકાત લઇને પરિસ્થિતીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને NDRFની ટીમ તૈનાત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા 17 ગામોમાં 48 જેટલી સગર્ભા મહીલાઓને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ તંત્ર દ્વારા સજ્જ થઇ તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.