કચ્છમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે બહાર નીકળતા લોકો સામે તંત્ર કરશે કાર્યવાહી
કચ્છમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સવારથી ફરી માહોલમાં સન્નાટો જોવા મળ્યો છે. જોકે, હજુ પણ અજાગૃત લોકો માર્ગો પર ફરી રહ્યા છે. પોલીસે તેમને સમજાવવા સાથે ઘરે રહેવાની અપીલ કરી રહી છે. તેમ છતાં જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓના નામે આવા અસામાજીક તત્વો બહાર નીકળી રહ્યા છે. ચોક્કસથી એટલું સ્પષ્ટ છે કે, આગામી સમયમાં તંત્ર વધુને વધુ કડક બનશે.બીજી તરફ હજારો લોકો પોતાના ઘરમાં રહીને તંત્રની કામગીરી પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.