તાપી: વ્યારા બાજીપુરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 13 ઈજાગ્રસ્ત

By

Published : Feb 5, 2021, 12:52 PM IST

Updated : Feb 5, 2021, 1:55 PM IST

thumbnail

તાપી: જિલ્લાના વ્યારા બાજીપૂરા હાઇવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રના માલેગાંવ થઈ સુરત જાન લઈને જતી ખાનગી લક્ઝરી બસ આગળ ચાલતા ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 1 મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે 7 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. વહેલી સવારે બનેલી ગોઝારી ઘટનાને પગલે બસના મુસાફરોની ચિચિયારી અને આક્રંદે વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું ત્યારે લગ્નની જાન લઈને જતી ખાનગી લક્ઝરી બસના અકસ્માતને પગલે પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી.છે. ઉલ્લેખનીય છે કે, વહેલી સવારે થયેલા ખાનગી લક્ઝરી બસના ગમખ્વાર અકસ્માતને પગલે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા ત્યારે વાલોડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડયા હતા. જ્યારે 1 મહિલા સહિત ત્રણ લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Feb 5, 2021, 1:55 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.