thumbnail

By

Published : Jan 20, 2020, 3:08 PM IST

ETV Bharat / Videos

વડોદરામાં ઘવાયેલા વન્યજીવનું રેસ્ક્યુ કરાયુ

વડોદરાઃ શહેરના પાદરા તાલુકાના મદાપુરથી શીહોર તરફ જતાં મુખ્ય માર્ગ પર એક અજાણ્યા વાહનની અડફેટે વન્યજીવ શાહુડી આવી જતાં તે ગંભીર રીતે ઘવાઈ હતી. આ બનાવ અંતર્ગત માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને આ ઘટના ધ્યાને પડતાં તેઓએ પાદરાની જીવદયા સંસ્થાનો સંપર્ક કર્યો હતો. જેને પગલે પાદરા એસ.જે.બી.ગ્રુપના આર્ય રોકી પોતાના વોલીયેન્ટર સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને માર્ગ અકસ્માતમાં ઘવાયેલ શાહુડીને રેસ્ક્યુ કરી પાદરા વન વિભાગને સોંપવામાં આવી હતી. જ્યાં વન વિભાગ દ્વારા તેની સારવાર કરી સહી સલામત સ્થળે છોડી મુકવામાં આવશે. તેવી માહિતી મળી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.