જામનગરમાં ઈયળના ત્રાસથી ખેડૂતે 20 વીઘાનો કપાસ સળગાવી દીધો
જામનગર: જિલ્લાના કાલાવડ તાલુકાના હરિપુર ગામેથી લીલી ઈયળથી કંટાળી ખેડૂતે પોતાનો 20 વીઘાનો કપાસ સળગાવી દીધો હતો. આ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે પાકમાં રોગનું પ્રમાણ જોવા મળ્યું હતું. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. ખાસ કરીને કપાસ અને મગફળી જેવા પાકમાં રોગોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.