બનાસકાંઠામાં શાકમાર્કેટયાર્ડ પર કોરોનાની અસર, ખેડૂતોએ ગૌશાળામાં મોકલ્યા શાકભાજી - Banaskantha latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 25, 2020, 7:48 PM IST

બનાસકાંઠાઃ દેશભરમાં વડાપ્રધાન દ્નારા 21 દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે જિલ્લામાં વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લોકડાઉનની સીધી અસર તમામ ધંધા રોજગાર પણ જોવા મળી રહી છે. સરકારે શાકભાજી, દૂધ ,દવા સહિત અતિ આવશ્યક ચીજવસ્તુઓ માટે તો છૂટછાટ આપી છે. તેમ છતાં ડીસામાં શાકભાજી માર્કેટમાં શાકભાજીનો ભરાવો થઈ જતા અંતે ગૌશાળામાં ફેંકવાનો વારો આવ્યો છે. ડીસાએ શાકભાજી માટેનું મુખ્ય હબ ગણાય છે અને ડીસાથી શાકભાજી રાજસ્થાનમાં નિકાસ કરવામાં આવે છે, પરંતુ ગુજરાત અને રાજસ્થાન બંને સંપૂર્ણ લોકડાઉન હોવાના કારણે રાજસ્થાનમાં એક પણ વેપારી ડીસા શાકભાજી ખરીદી કરવા માટે આવી શક્યા નથી અને તેના કારણે જ ડીસામાંથી રાજસ્થાન નિકાસ થતી તમામ શાકભાજીનો ભરાવો થઇ ગયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.