રાજકોટ મનપાની ચૂંટણીને અનુલક્ષીને AAP દ્વારા હોદ્દેદારોની કરાઈ નિમણુંક - રાજકોટ મનપાની ચૂંટણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 12, 2020, 2:25 PM IST

રાજકોટ: રાજ્યમાં આગામી દિવસોમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ પક્ષો દ્વારા અત્યારથી જ પ્રચારમાં લાગી ગયા છે. જેને લઈને શનિવારે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પોતાના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન રાજકોટના નામાંકિત લોકો આપ પાર્ટીમાં ઓનલાઈન જોડાયા હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં રાજકોટના વિવિધ વોર્ડ પ્રમુખોની પાણ નિમણુંક કરવામાં આવી છે. રાજકોટમાં આગામી મનપાની ચૂંટણીને લઈને આ કામગીરી કરાઈ હોવાનું આપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.