Navratri 2023: શું તમે જાણો છો નવરાત્રિમાં ગવાતી આદ્યશક્તિની આરતીની રચના સૌપ્રથમ કયારે થઈ હતી ?

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 9:55 PM IST

Updated : Oct 17, 2023, 10:01 PM IST

thumbnail

ભરૂચ: હાલ સમગ્ર ગુજરાતમાં મા આધ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ એવી નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે. નવરાત્રી પર્વે ગરબે રમતા પહેલાં અને ગરબા પૂર્ણ થાય ત્યારે માતાની આરાધના સ્વરૂપે જય આધ્યાશક્તિની સ્તુતિ ગાવામાં આવે છે. પરંતુ બહું ઓછા લોકોને એ ખબર હશે કે, આ સ્તુતિની રચના ભરૂચના નર્મદા કિનારે થઈ હતી. અને તે પણ 400 વર્ષ પૂર્વે. એટલે કે ઈ.સ 1601માં નર્મદા નદીના કિનારે આવેલું પૌરાણિક આદ્યશક્તિ મંદિર ખાતે જય આદ્યશક્તિની આરતીનો ઉદ્દભવ થયો હતો અને પ્રથમ વખત આ આરતી ગવાઈ હતી. માં આદ્યશક્તિની આરતીનું ઉદ્દભવ સ્થાન એટલે મંછાવટી નગરી અને આજનું જુના માંડવા ગામ...આજ જુના માંડવા ગામ ખાતે આવેલ માં આદ્યશક્તિ મંદિરમાં ઈ.સ 1601 માં સુરતથી શિવાનંદ સ્વામી આવીને વસ્યા હતા અને મંદિરના યજ્ઞ માટે માતાજીની સ્તુતિ કરવાનો તેમને વિચાર આવ્યો હતો. આ આરતી આજે વિશ્વવિખ્યાત બની ગઈ છે અને સમગ્ર દેશ-વિદેશમાં ગવાઈ રહી છે.

Navratri 2023: અદ્ભુત, અલૌકિક, અકલ્પનીય! છેલ્લાં 25 વર્ષથી માથે 7 કિલોના ગરબા મૂકી મહિલાઓ કરે છે માતા રાનીની આરાધના

Vagheshwari Mata: નગરદેવી તરીકે પૂજાતા વાઘેશ્વરી માતામાં જૂનાગઢના નવાબ પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા

Last Updated : Oct 17, 2023, 10:01 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.