Janmashtami 2023 : નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયા લાલ કી, અડધી રાતે ભગવાન કૃષ્ણના વધામણાં

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 7:16 AM IST

Updated : Sep 8, 2023, 8:28 AM IST

thumbnail

ભાવનગર: સમગ્ર રાજ્યમાં ભગવાન કૃષ્ણનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાત્રીનાં 12 વાગ્યે ભગવાન કૃષ્ણ જન્મોત્સવની રાજ્યભરનાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાવનગર શહેર પણ જય રણછોડ.....માખણ ચોર, ગોકુલ મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, નંદ ઘર આનંદ ભયો..જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કીનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. સુભાષનગર મોમાઈ માના મઢે શ્રી બુટ ભવાની ગરબા મંડળ ભાવસાર દ્વારા કૃષ્ણ જન્મનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન સાથે કૃષ્ણ જન્મની શરૂઆત કરવામાં આવી હતી. ભજન બાદ રાત્રે 12 કલાક થતાની સાથે કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો હતો. કૃષ્ણ ભગવાનને હિંડોળે હીંચકાવવામાં આવ્યા હતા. 

  1. Janmashtami 2023 : કૃષ્ણ જન્મોત્સવ યાત્રામાં 700 કિલો બટાકાની ચિપ્સનો પ્રસાદ
  2. Janmashtami 2023 : જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણ વિશિષ્ટ રથમાં બેસી નગરયાત્રાએ નીકળ્યા
Last Updated : Sep 8, 2023, 8:28 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.