રઘુવીર માર્કેટ આગઃ '100થી વધુ ફાયરની ગાડીઓ ઉપયોગમાં લેવાઈ, તમામ ચાર્જ બિલ્ડર આપવો પડશે' - સુરત ફાયર વિભાગ
🎬 Watch Now: Feature Video

સુરતઃ શહેરમાં આવેલાં રઘુવીર માર્કેટ આગ પ્રકરણમાં ફાયર વિભાગ દ્વારા બિલ્ડર પાસેથી રૂપિયા 80 લાખથી 1 કરોડ સુધી ચાર્જ વસૂલવામાં આવશે. આ અંગે વાત કરતાં ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આગ બૂઝાવવામાં 100થી વધુ ફાયરની ગાડીઓ ઉપયોગમાં લેવાઈ હતી. જેનો ચાર્જ બિલ્ડર પાસેથી વસૂલવામાં આવશે.