મોરબી જીલ્લામાં બળજબરીથી બંધ કરાવનાર સામે પગલા લેવાશે : એસપી - મોરબી પોલીસ વડા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2020, 8:59 AM IST

મોરબીઃ મંગળવારે ભારતબંધ એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ગત રોજ મોડી સાંજે મોરબી જીલ્લા એસપીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં બળજબરીથી બંધ કરાવનાર સામે કાયદેસર પગલા લેવાશે તેમજ ચારથી વધુ વ્યક્તિઓએ એકત્ર ન થવાના નિયમોનું પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતાં. જીલ્લા એસપી એસ આર ઓડેદરાએ જણાવ્યું હતું કે, મંગળવારે ભારતબંધ એલાન આપવામાં આવ્યું છે જેમાં મોરબી જીલ્લામાં કોઈ બળજબરીપૂર્વક બંધ કરાવી શકશે નહી. જો કોઈ બળજબરીપુર્વક ભારત બંધને સમર્થન કરાવશે તો તેની સામે પોલીસ દ્વારા કાયદેસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન્સ તેમજ ચારથી વધુ વ્યક્તિઓએ એકત્ર ન થવા સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે, જે નિયમભંગ કરશે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.