ગુજરાત

gujarat

ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળા પાણીમાં ડૂબી જવાથી એક વૃદ્ધનું મોત.

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 10:44 PM IST

ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળા પાણીમાં ડૂબી જવાથી એક વૃદ્ધનું મોત.
ડાંગના જુંનેર ગામે ગણેશ વિસર્જન વેળા પાણીમાં ડૂબી જવાથી એક વૃદ્ધનું મોત. (Etv Bharat Gujarata)

ડાંગ: જિલ્લાના સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ જુંનેર ગામે ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જવાથી એક 65 વર્ષિય વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયાનું નોંધાયું છે. સુબીર તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર હાથીવાલાના એક રિપોર્ટ અનુસાર, તાલુકાના જુંનેર ગામના રહેવાસી એવા 65 વર્ષિય વૃદ્ધ નામે સીતારામ લાહનુભાઈ ચૌધરી, ધોધડ નદીના નવા પુલ પાસે સાંજેના સુમારે, ગણેશ વિસર્જન વેળાએ પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અધિકારીઓએ કામગીરી શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details