અમરેલી: રાજ્યમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે, જેને પગલે ખેડૂતો પરેશાન છે. રાજ્યમાં ઘણી જગ્યાઓએ ખેડૂતો દ્વારા ખાતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ વચ્ચે યુરિયા ખાતરની અછત અંગે ગુજકોમોસોલના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. દિલીપ સંઘાણીએ ખાતર અછત વિશે નિવેદન આપતા કહ્યું કે, ઉપરથી ખાતર ના આવતું હોય એ જ કારણ હોય બીજું શું હોય. અમુકમાં ફરિયાદો મળે છે કે ખાતર લેવા ગયાને નથી મળતું. કારણ તો જે સિસ્ટમમાં હોય એ જ કહી શકે. ઇફ્કો બનાવે છે અને ગુજકોમાસોલ વેચે છે, અમે આવે તો વેચીએ છીએ.
રાજ્યમાં યુરિયા ખાતરની અછત હોવાનું દિલીપ સંઘાણીએ સ્વીકાર્યું, કહ્યું- ઉપરથી ન આવતું હોય તો...
Published : 6 hours ago
અમરેલી: રાજ્યમાં યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે, જેને પગલે ખેડૂતો પરેશાન છે. રાજ્યમાં ઘણી જગ્યાઓએ ખેડૂતો દ્વારા ખાતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ વચ્ચે યુરિયા ખાતરની અછત અંગે ગુજકોમોસોલના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. દિલીપ સંઘાણીએ ખાતર અછત વિશે નિવેદન આપતા કહ્યું કે, ઉપરથી ખાતર ના આવતું હોય એ જ કારણ હોય બીજું શું હોય. અમુકમાં ફરિયાદો મળે છે કે ખાતર લેવા ગયાને નથી મળતું. કારણ તો જે સિસ્ટમમાં હોય એ જ કહી શકે. ઇફ્કો બનાવે છે અને ગુજકોમાસોલ વેચે છે, અમે આવે તો વેચીએ છીએ.