પાટીદાર સમાજના મોભી અને ખેડૂત નેતા કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ - National Federation of Education
🎬 Watch Now: Feature Video

મોરબીઃ શહેરમાં પાટીદારધામ મોરબી અને સમસ્ત પાટીદાર સમાજ તથા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ખેડૂત પુત્ર કે જેમનો સમાજના ઉત્થાનમાં ફાળો રહેલો છે. તેમને સમગ્ર જીવન સમાજને અર્પણ, તર્પણ અને સમર્પણ કર્યું છે. એવા સ્વ.કેશુભાઈ પટેલના દિવ્ય આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના મોભીઓએ ઉપસ્થિત રહીને કેશુબાપાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેના સ્મરણોને યાદ કર્યા હતા.