સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નર્મદા નીરના વધામણા, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી આરતી
અમદાવાદઃ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાલી કરવામાં આવેલા સાબરમતી નદી સહિતના જળાશયો પાણીથી છલોછલ છે. નર્મદા ડેમ પણ 138 મીટરની સપાટીએ છે. જેના વધામણાં કરવા PM નરેન્દ્ર મોદી આવ્યા છે. આ તરફ રાજ્ય કક્ષાએ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર બીજલ પટેલ ,મ્યુસિપલ કમિશ્નર વિજય નેહરા સહિત સમગ્ર અમદવાદીઓ સમક્ષ નમર્દાની આરતી કરાઇ હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાબરમતી નદીમાં સ્કુબા ડાઈવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઇડ શરૂ કરવામાં આવી હતી.