સુરતના પાંડેસરામાં સીટી બસે બાઈક સવારને અડફેટે લીધો , બસ પર પથ્થરમારો
સુરત : ડિંડોલી ઓવરબ્રિજ પર બનેલી સીટી બસ અકસ્માતની ઘટના હજી શમી નથી. ત્યાં પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક સીટી બસના ચાલકે વધુ એક બાઈક સવારને અડફેટે લીધો છે. બાઈક સવારને અડફેટે લેતા સ્થાનિક ટોળા દ્વારા બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પાંડેસરા પોલીસ દ્વારા ચાલકની અટકાયત કરી બસ ડિટેઇન કરવામાં આવી હતી.સુરત શહેરમાં દોડતી BRTS અને સીટી બસસેવા લોકો માટે યમદુત સમાન સાબિત થઇ રહી છે. ત્યારે સીટી બસના ચાલકો બેફામ બની બસને ચલાવી રહ્યાં છે.