Published : 2 hours ago
વીરપુરની નદીમાં વૃદ્ધા તણાઈ, શોધખોળ બાદ મળ્યો 85 વર્ષીય મહિલાનો મૃતદેહ - rajkot news
વીરપુર:- હાલમાં અકસ્માતોના બનાવો ખુબ વધી રહ્યા છે. ત્યારે રાજકોટના વીરપુર તાલુકાના ઉમરાણી ગામે એક વૃદ્ધા ગતરોજ સ્થાનિક નદીમાં આવેલા પુરમાં તણાય ગઈ હતી. કમળાબેન મેધજીભાઈ મકવાણા (ઉંમર.85 વર્ષ) નામની વૃદ્ધાનો ઉમરાણી ગામથી 10 કિમી દૂર હરીપર ગામની નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ વદ્ધા ગામમાં એક દુ:ખદ પ્રસંગમાં જતી હતી તે સમયે કોઈ કારણસર નદીમાં પડી ગઈ હતી. વૃદ્ધા ઘરે પાછી ન આવતા પરિવારજનોએ શોઘખોળ શરૂ કરી હતી. શોધખોળ બાદ આજ રોજ વહેલી સવારે હરીપર ગામની અખૂટ નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળતા પરિવારજનોઓ પોલીસને તેમજ પ્રશાસનને જાણ કરી હતી. પોલીસને જાણ કરતા પોલીસ તુરંત ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.