અર્જુનસિંહ ચૌહાણને મળ્યું પ્રધાનમંડળમાં સ્થાન, કાર્યકર્તાઓએ કર્યું અભિવાદન - Arjun Singh Chauhan
🎬 Watch Now: Feature Video

ગાંધીનગર: ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ છે. જેમાં અર્જુનસિંહ ચૌહાણને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે. તેમના કાર્યકર્તાઓ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 27 વર્ષથી ભાજપ ગુજરાતમાં છે અને અમે વિકાસના કામો આગળ વધારતા રહીશું.