જામનગર જિલ્લા પંચાયતની ઓફિસમાં વિકાસ કમિશ્નરના પરિપત્ર છતાં AC શરૂ - જામનગર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

જામનગર જિલ્લા પચાયત ફરી ચર્ચામાં આવી છે. વિકાસ કમિશનર દ્વારા AC દૂર કરવાનો પરિપત્ર જિલ્લા પચાયતમાં આપવામાં આવ્યો હોવા છતા, હજુ પણ જિલ્લા પચાયતમાં સ્વભંડોળથી કલાસ 1 અને 2ની ઓફિસમાં 25 જેટલા AC લગાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે, જિલ્લા પંચાયતમાં ક્લાસ અધિકારીની મોટાભાગની ચેમ્બરોમાં એસી લગાવવામાં આવ્યાં છે. જોકે ACનું જે લાઈટ બિલ આવે તે નગરપાલિકાએ ભરવું પડે છે. ત્યારે વિકાસ કમિશનરના પરિપત્ર અનુસાર તમામ તાત્કાલિક દૂર કરવામાં આવે.