ETV Bharat / bharat

પંજાબના યુવકનું કોલંબિયામાં મોત, ડંકી માર્ગે જઈ રહ્યો હતો અમેરિકા, એજન્ટને આપ્યા હતા 43 લાખ રૂપિયા - PUNJAB YOUTH DIES IN COLOMBIA

ડંકી માર્ગે અમેરિકા જઈ રહેલાં પંજાબના 24 વર્ષના એક યુવકનું મૃત્યું નિપજ્યું. પરિવારે પોલીસને કંબોડિયામાં ફસાયો હોવાની ફરિયાદ કરી હતી.

પંજાબના યુવકનું કોલંબિયામાં મોત
પંજાબના યુવકનું કોલંબિયામાં મોત (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 23, 2025, 10:34 PM IST

મોહાલીઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયોને અમેરિકન સરકાર દ્વારા પરત મોકલવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ વખત હવાઈ માર્ગે ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. તે લોકોને સુરક્ષિત જોઈને પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ, પંજાબના મોહાલીનો એક પરિવાર કદાચ એટલો ભાગ્યશાળી ન હતો. તેનો યુવાન પુત્ર ડંકી મારફતે અમેરિકા ગયો જે હવે પાછો ક્યારેય આવવાનો નથી.

કેવી રીતે થયું મોતઃ મોહાલીથી અમેરિકા જઈ રહેલા 24 વર્ષીય રણદીપ સિંહની તબિયત રસ્તામાં ખરાબ થઈ ગઈ, જેના કારણે તેનું મોત થયું હતું. એજન્ટે તેને કેનેડાના માર્ગે અમેરિકા લઈ જવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ અમેરિકા પહોંચતા પહેલા જ રણદીપ ઘણા મહિનાઓ સુધી વિયેતનામ અને પછી કંબોડિયામાં અટવાયેલો રહ્યો હતો. આ દરમિયાન તે બીમાર પડી ગયો અને તેને સારવાર ન મળી. સંક્રમણ એટલું વધી ગયું કે તે મૃત્યુ પામ્યો.

પરિવારની સરકારને અપીલ: યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળીને પરિવારની હાલત કફોડી બની ગઈ છે અને પરિવારજનોમાં શોક પ્રસરી ગયો છે. પરિવારે રાજ્ય સરકાર અને ભારત સરકારને તેમના પુત્રના મૃતદેહને ભારત પરત લાવવાની અપીલ કરી છે જેથી તેઓ તેમના પુત્રને છેલ્લી વાર જોઈ શકે. ડેરાબસ્સીના શેખપુરા કલાન ગામનો 24 વર્ષીય રણદીપ સિંહ 10મું પાસ હતો. પરિવારમાં સૌથી નાનો હતો. પરિવાર ગરીબ છે અને પરિવારનું ભરણપોષણ કરવા મજૂરી કામ કરે છે.

ગરીબી દૂર કરવા અમેરિકા ગયોઃ રણદીપે પોતાના ઘરની સ્થિતિ સુધારવા અમેરિકા જવાનું વિચાર્યું. આ સપનું પૂરું કરવા તેણે અંબાલામાં રહેતા સંબંધી ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કર્યો. એજન્ટે શરૂઆતમાં 50 લાખ રૂપિયા માંગ્યા હતા. વાટાઘાટો બાદ તે ઘટાડીને 43 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. પરિવારે સંબંધીઓ અને પરિચિતો પાસેથી પૈસા ઉછીના લઈને જેમ તેમ કરીને પુત્ર માટે પૈસાની વ્યવસ્થા કરી હતી જોકે, 1 જૂન 2024ના રોજ પુત્રને અમેરિકા મોકલ્યો હતો.

અને આવ્યા મૃત્યુના સમાચાર : દરમિયાન, ટ્રમ્પની સરકાર અમેરિકામાં સત્તા પર આવી. બોર્ડર પર પણ કડકાઈ હતી એટલે એજન્ટે તેને ત્યાં રોક્યો. તે ન તો તેમને આગળ મોકલતો હતો અને ન તો તેમને ભારત પાછો મોકલી રહ્યો હતો. પરિવારે 20 ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર 8 મહિનાથી કંબોડિયામાં ફસાયેલો છે. એજન્ટે પુત્રનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો છે. તેમની તબિયત બગડી રહી છે અને તેમને સારવાર મળી રહી નથી. પોલીસે કોઈ કાર્યવાહી કરી ત્યાં સુધીમાં રણદીપના મૃત્યુના સમાચાર આવી ચૂક્યા હતા.

  1. ગરીબી દૂર કરવા અમેરિકા ગયોઃ ડિપોર્ટ થતા પરિવાર આઘાતમાં
  2. PM મોદી-રાષ્ટ્રપતિ ટ્રમ્પ બેઠક : "આઈ મિસ યુ..." વડાપ્રધાનને મળતા વેંત ભેટી પડ્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ

મોહાલીઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયોને અમેરિકન સરકાર દ્વારા પરત મોકલવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ત્રણ વખત હવાઈ માર્ગે ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે. તે લોકોને સુરક્ષિત જોઈને પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. પરંતુ, પંજાબના મોહાલીનો એક પરિવાર કદાચ એટલો ભાગ્યશાળી ન હતો. તેનો યુવાન પુત્ર ડંકી મારફતે અમેરિકા ગયો જે હવે પાછો ક્યારેય આવવાનો નથી.

કેવી રીતે થયું મોતઃ મોહાલીથી અમેરિકા જઈ રહેલા 24 વર્ષીય રણદીપ સિંહની તબિયત રસ્તામાં ખરાબ થઈ ગઈ, જેના કારણે તેનું મોત થયું હતું. એજન્ટે તેને કેનેડાના માર્ગે અમેરિકા લઈ જવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ અમેરિકા પહોંચતા પહેલા જ રણદીપ ઘણા મહિનાઓ સુધી વિયેતનામ અને પછી કંબોડિયામાં અટવાયેલો રહ્યો હતો. આ દરમિયાન તે બીમાર પડી ગયો અને તેને સારવાર ન મળી. સંક્રમણ એટલું વધી ગયું કે તે મૃત્યુ પામ્યો.

પરિવારની સરકારને અપીલ: યુવાન પુત્રના મોતના સમાચાર સાંભળીને પરિવારની હાલત કફોડી બની ગઈ છે અને પરિવારજનોમાં શોક પ્રસરી ગયો છે. પરિવારે રાજ્ય સરકાર અને ભારત સરકારને તેમના પુત્રના મૃતદેહને ભારત પરત લાવવાની અપીલ કરી છે જેથી તેઓ તેમના પુત્રને છેલ્લી વાર જોઈ શકે. ડેરાબસ્સીના શેખપુરા કલાન ગામનો 24 વર્ષીય રણદીપ સિંહ 10મું પાસ હતો. પરિવારમાં સૌથી નાનો હતો. પરિવાર ગરીબ છે અને પરિવારનું ભરણપોષણ કરવા મજૂરી કામ કરે છે.

ગરીબી દૂર કરવા અમેરિકા ગયોઃ રણદીપે પોતાના ઘરની સ્થિતિ સુધારવા અમેરિકા જવાનું વિચાર્યું. આ સપનું પૂરું કરવા તેણે અંબાલામાં રહેતા સંબંધી ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કર્યો. એજન્ટે શરૂઆતમાં 50 લાખ રૂપિયા માંગ્યા હતા. વાટાઘાટો બાદ તે ઘટાડીને 43 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. પરિવારે સંબંધીઓ અને પરિચિતો પાસેથી પૈસા ઉછીના લઈને જેમ તેમ કરીને પુત્ર માટે પૈસાની વ્યવસ્થા કરી હતી જોકે, 1 જૂન 2024ના રોજ પુત્રને અમેરિકા મોકલ્યો હતો.

અને આવ્યા મૃત્યુના સમાચાર : દરમિયાન, ટ્રમ્પની સરકાર અમેરિકામાં સત્તા પર આવી. બોર્ડર પર પણ કડકાઈ હતી એટલે એજન્ટે તેને ત્યાં રોક્યો. તે ન તો તેમને આગળ મોકલતો હતો અને ન તો તેમને ભારત પાછો મોકલી રહ્યો હતો. પરિવારે 20 ફેબ્રુઆરીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર 8 મહિનાથી કંબોડિયામાં ફસાયેલો છે. એજન્ટે પુત્રનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો છે. તેમની તબિયત બગડી રહી છે અને તેમને સારવાર મળી રહી નથી. પોલીસે કોઈ કાર્યવાહી કરી ત્યાં સુધીમાં રણદીપના મૃત્યુના સમાચાર આવી ચૂક્યા હતા.

  1. ગરીબી દૂર કરવા અમેરિકા ગયોઃ ડિપોર્ટ થતા પરિવાર આઘાતમાં
  2. PM મોદી-રાષ્ટ્રપતિ ટ્રમ્પ બેઠક : "આઈ મિસ યુ..." વડાપ્રધાનને મળતા વેંત ભેટી પડ્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.