જેતપુરની ભાદર 1 ડેમમાંથી રવિ પાકના પિયત માટે પાણી છોડાયું, 47 ગામોને મળશે લાભ
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5597647-thumbnail-3x2-rjt.jpg)
રાજકોટઃ જિલ્લાના જેતપુર ભાદર 1 ડેમમાંથી રવિ પાકની સિઝન માટે સરકારે પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો. જેની શનિવારે શરૂઆત કરવામાં આવી હતી. સવારે ભાદર 1 ડેમમાંથી રવિ પાકના સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યુ જેમાં જેતપુર, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ તાલુકાના 47 જેટલા ગામોને પિયતના પાણીનો લાભ મળશે અને 5 હજાર હેકટરમાં પિયતનું પાણી મળી રહેશે.