વડોદરા દશામાની પ્રતિમાના વિસર્જનને લઈને મહિલાઓએ તંત્ર વિરુદ્ધ દેખાવો કર્યા - વડોદરા કિશનવાડી વિસ્તાર
🎬 Watch Now: Feature Video

વડોદરા: શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા જલારામ ચોક ખાતે દશા માતાજીનું વ્રત કરનારી મહિલાઓ એકત્ર થઇ હતી. જેમણે તળાવમાં દશામાની પ્રતિમાઓને વિસર્જન નહીં કરવાના મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયનો સખત વાંધો ઉઠાવ્યો હતો. આમ વિસ્તારમાં મહિલાઓનો ભારે આક્રોશ તંત્ર વિરુદ્ધ જોવા મળ્યો હતો.