અષાઢી અમાસ નિમિત્તે ભરૂચના ભોય જ્ઞાતિ પંચ દ્વારા મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરાઈ - ભાતીગળ મેેઘરાજાનો મેળો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2020, 7:42 PM IST

ભરૂચઃ સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં મેઘ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ભરાતા મેઘરાજાના ભાતીગળ મેળાનું કાઉન્ટ ડાઉન શરુ થઇ ગયું છે. જાદવ સમાજ દ્વારા ઉજવાતા આ ઉત્સવમાં આજરોજ મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. સમાજના યુવાનો દ્વારા નર્મદા નદીની માટી માંથી મેઘરાજાની પ્રતિમા બનાવવામાં આવે છે. ભરૂચમાં ભયાવહ દુકાળ પડ્યો હતો એ સમએ મેઘરાજાને મનાવવા લોકોએ પ્રતિમાનું પૂજન અર્ચન કર્યું હતું. ત્યારથી મેઘઉત્સવની ઉજવણી થાય છે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીના કારણે મેઘરાજાના દર્શન માટે ભોય જ્ઞાતિ પાંચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે મેઘરાજાની પ્રતિમાના દર્શન કરી શકશે. તો આ વર્ષે શ્રાવણ વદ સાતમ થી દશમ સુધી ભરાતો ભાતીગળ મેળો પણ મોકૂફ રાખવામાં આવે એવી શકયતા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.