પાલનપુર ખાતે બનાસડેરીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

By

Published : Oct 28, 2019, 8:33 PM IST

thumbnail
બનાસકાંઠાઃ બનાસડેરીમાં શંકર ચૌધરીએ પશુપાલકો સાથે સ્નેહમિલન કર્યુ હતુ. જિલ્લાના પશુપાલકો સાથે ચેરમેન શંકર ચૌધરીએ શુભેચ્છાઓની આપ-લે કરી હતી. જ્યારે પશુપાલકો જિલ્લામાં ખૂબ પ્રગતિ કરે અને તેમનું વર્ષે સારું જાય એવી પણ શુભકામનાઓ આપી હતી. બનાસકાંઠાના પશુપાલકોને બનાસ ડેરીએ દિવાળી પર દૂધના ભાવમાં વધારાની ભેટ આપી હતી, ત્યારે પશુપાલકો દૂધના ભાવવધારાથી ખુશ હતા. જ્યારે પશુપાલકોને તહેવારમાં કોઈ તકલીફ ના પડે એના માટે એડવાન્સ પગાર પણ ડેરી દ્વારા ચૂકવવામાં આવ્યો હતો. પશુપાલકો નવા વર્ષમાં સમૃદ્ધ થાય તેવી ભગવાન પાસે પ્રાર્થના પણ કરી હતી. જો કે, બનાસ ડેરી નિયામક મંડળ અને બનાસ ડેરીનાચેરમેન અને જિલ્લાના સમગ્ર પશુપાલકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.