JEE અને NEETની પરીક્ષા મુદ્દે પાટણના લોકોની પ્રતિક્રિયા
પાટણ: કોરોના મહામારી વચ્ચે JEE અને NEETની પરીક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે આ પરીક્ષાઓ રદ કરવા વિપક્ષ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ અંગે પાટણમાં જાણીતા શિક્ષણવિદ અને તબીબોનો ETV ભારતે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. પાટણ શહેરમાં NEET અને JEEની પરીક્ષા માટે લેવાયેલા પ્રતિભાવોમાં તબીબ, શિક્ષણવીદ અને વિદ્યાર્થીઓ પરીક્ષા લેવી જોઈએ તેવા મંતવ્ય વ્યક્ત કર્યા હતા.