બોટાદમાં રામમંદિર જન્મ ભૂમિ નિર્માણ નિધિ માટે બેઠક યોજાઈ - Rammandir Janma Bhoomi Nirman Fund Meeting
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10274852-thumbnail-3x2-botadaaaaaaaa.jpg)
બોટાદઃ જિલ્લાના પાળીયાદમાં આવેલી વિહળાનાથની જગ્યામાં રામમંદિર જન્મ ભૂમિ નિર્માણ નિધિ માટે સંતો અને મહંતોની બેઠક યોજાઇ હતી. જેમાં વિહળાનાથની જગ્યાના મહંત નિર્મળાબા, બોટાદ આત્માનંદ સરસ્વતિ, સાળગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, ભીમનાથ મંદિરના આશુતોષ ગીરીબાપુ સહિત અન્ય સંતો અને મહંતો સહિત વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા. રામ મંદિર નિર્માણને લઈ તેના માટે નિધિ ફંડ માટેની આ બેઠક યોજાઇ હતી. મંદિરના નિર્માણ માટે પાળીયાદ જગ્યા તરફથી 5 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા.
Last Updated : Jan 17, 2021, 5:50 PM IST