રાજકોટ કોંગ્રેસે JEE અને NEETની પરીક્ષા મુલતવી રાખવા પ્રદર્શન કર્યું
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન JEE અને NEETની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી શુક્રવારે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આ પરીક્ષાઓ રદ કરવામાટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ કોંગ્રેસે પણ કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા મુલતવી રાખવા વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ રાજકોટ કોંગ્રેસે વિદ્યાર્થીઓની 6 મહિનાની ફી માફ કરવાની માગ કરી હતી. આ મામલો વધુ બીચકે, તે પહેલાં જ પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.