પોરબંદરમાં પોલીસની રેલી યોજાઈ, લોકોને શાંતિ જાળવવા કરી અપીલ
પોરબંદરઃ શહેર અને જિલ્લામાં સુલેહ-શાંતિ અને ભાઈચારાની લાગણી જળવાઈ રહે તે માટે IGP મનીંન્દર પવાર અને SP પાર્થરાજ ગોહીલની અધ્યક્ષતામાં એક રેલી યોજાઈ હતી. જેમાં પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. રેલીનો હેતુ લોકોમાં અફવા ન ફેલાય અને સ્થાનિક જનતાએ જે રીતે પોલીસને સહયોગ કર્યો તેને વધાવવા યોજાયો હતો.