ભરૂચ નગર સેવા સદન દ્વારા સામાન્ય સભા ન બોલાવાતા વિપક્ષે આપ્યું 3 દિવસનું અલ્ટીમેટમ
ભરૂચ : જિલ્લા નગર સેવા સદન દ્વારા સામાન્ય સભા ન બોલાવામાં આવતા વિપક્ષ દ્વારા 3 દિવસનું અલ્ટિમેટમ આપી 3 દિવસમાં સામાન્ય સભા ન બોલાવાઇ તો વિપક્ષ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ નગર સેવા સદનમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વારા સોમવારે નગર પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા અને ચીફ ઓફિસર સંજય સોનીને રજૂઆત કરવામાં આવી હતી.