શામળાજી મંદિરમાં અધિક માસની પૂનમે શ્રદ્વાળુઓ દર્શન માટે ઉમટ્યા - શામળાજી મંદિરમાં દર્શન માટેની વ્યવસ્થા
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિરમાં અધિક આસો પૂનમનો અનેરો મહિમા હોવાથી શ્રદ્વાળુઓ દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા. અધિક માસમાં શામળાજી મંદિરમાં બીજો વિષ્ણુ યજ્ઞ કરવમાં આવ્યો હતો. ધજા લઇ ભગવાન શામળિયાને પ્રાર્થના કરવા દેશી ભજન મંડળીઓ ઉમટી પડી હતી. ભગવાન શામળિયાને વિશેષ વાઘા અને સોળે શણગારથી સજ્જ કરવામાં આવ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને ગાઈડલાઈનના અમલ સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.