રાજકોટમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી, ભાવિકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

By

Published : Feb 21, 2020, 10:08 PM IST

thumbnail
રાજકોટઃ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાજકોટના વિવિધ શિવ મંદીરોમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે રાજકોટના સ્વયં ભુ રામનાથ મહાદેવ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મહાદેવને રિઝવવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. જ્યારે મહાશિવરાત્રી હોય ભક્તોએ ભાંગના પ્રસાદની મજા માણી હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે રાજકોટમાં ભારે વરસાદ દરમિયાન રામનાથ મંદિરના બન્ને કાંઠે વરસાદી પાણી જોવા મળ્યું હતું અને જાણે શિવને વરસાદ દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાય હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.