કોરોના ઈફેક્ટ: ભરૂચની મસ્જીદોમાં પ્રથમ વખત જુમ્માની સામૂહિક નમાઝ રદ રહી - Jumma's collective prayers were canceled in the mosques of Bharuch
🎬 Watch Now: Feature Video

ભરૂચ: કોરોના વાઈરસની ઈફેક્ટના પગલે દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. સરકારે મંદિર, મસ્જિદ, ચર્ચ કે ગુરુદ્વારા પર લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. શુક્રવારે મુસ્લિમ બિરાદરો વિવિધ મસ્જિદ પર મોટી સંખ્યામાં એકત્રિત થઇ જુમ્માની નમાઝ અદા કરતા હોય છે. પરંતુ લોકડાઉનના પગલે ભરૂચની વિવિધ મસ્જિદોમાં માત્ર 4 જ લોકોએ જઈ જુમ્માની નમાઝ અદા કરી હતી અને તેમજ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા તંત્રને સહયોગ આપ્યો હતો.