પોરબંદરમાં દુબઈથી આવેલી ગર્ભવતી મહિલાનું બાળકીને જન્મ આપ્યા બાદ મોત, રિપોર્ટ કોરોના નેગેટિવ

By

Published : Mar 18, 2020, 7:54 AM IST

thumbnail
પોરબંદર: ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસની દહેશતથી અનેક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે દુબઈથી પોરબંદર આવેલ એક મહિલાનું મોત નીપજ્યું છે. જો કે, મહિલા ભારતમાં આવી ત્યારે અમદાવાદ ઍરપોર્ટ પર તેની તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન તપાસમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા ન હતા. પોરબંદર સિવિલ હોસ્પિટલના અધિકારી ડો. ઠાકોરના જણાવ્યા અનુસાર ગર્ભવતી મહિલએ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યા બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. જો કે, બાળકી તંદુરસ્ત છે. આ મહિલાને દુબઇ એરપોર્ટ અને અમદાવાદ સહિત પોરબંદરમાં કરાયેલ સ્ક્રિનિંગમાં સામાન્ય સ્થિતિ હોવાનું જણાયું હતું. મહિલાનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે. સોશિયલ મીડિયામાં કોઈ જાતની અફવા ન ફેલાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.