સુરતમાં કોમન પ્લોટ મામલે વિવાદ: પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
સુરત: એ.કે.રોડ પર આવેલી સોસાયટીનો કોમન પ્લોટ બિલ્ડર દ્વારા અન્યને વેચી નાખવામાં આવતા કબ્જો લેવા માટે આવેલા પ્લોટ માલિકના માણસો અને સોસાયટીવાસીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન પોલીસ બોલાવતા ઘર્ષણ થયું હતું. સ્થાનિક સોસાયટીની મહિલાઓ, પુરુષો સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. જે ફરિયાદ લઈ સોસાયટીના લોકો પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. વરાછાના એ.કે.રોડ પર આવેલી શ્રીનાથ દ્વાર સોસાયટી વર્ષ 1993માં ઉભી કરવામાં આવી હતી.