thumbnail

By

Published : Dec 3, 2019, 3:09 AM IST

Updated : Dec 3, 2019, 4:53 AM IST

ETV Bharat / Videos

ભુજમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી

કચ્છઃ પાટનગર ભુજ ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાય રહ્યો છે આજે ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. હરિભક્તોને કાયમી સ્મૃતિના ભાગરૂપે ચાંદીના સિક્કાનું વિમોચન, શ્રીમદ ભાગવત મહાપુરાણના બે ભાગમાં વિમોચન તથા રક્તદાન કેમ્પ સાથે હરિભક્તોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની અપીલ કરી હતી. રક્તદાન કેમ્પમાં 842 લોકોએ રક્તદાન કર્યું હતું. સોમવારની રાત્રે ભુજ સ્વામિનારાયણ મંદિર ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. મંગળવારે સંતો દ્વારા ભજનનું આયોજન કરાયું છે. લાલજી મહારાજના હસ્તે સ્વામિનારાયણ ઔષદ્યાલયનું ઉદઘાટન કરાશે.
Last Updated : Dec 3, 2019, 4:53 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.