thumbnail

હોળી પર્વ ઉજવવા વતન જતા લોકો માટે ભરૂચ ST વિભાગ 60 બસ ફાળવશે

By

Published : Mar 6, 2020, 11:53 PM IST

ભરૂચઃ રંગોના પર્વ હોળી ધૂળેટીનાં પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હોળી ધૂળેટીના પર્વ પર શ્રમિક વર્ગ તેમના વતન જતા હોય છે. તેમને અગવડતા ન પડે એ માટે ભરૂચ ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી ધૂળેટીનાં પર્વ દરમિયાન ભરૂચ ST વિભાગ દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લા તરફ 60 વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને આ બસ સેવાનો લાભ ભરૂચ નર્મદા ચોકડી અને અંકલેશ્વર GIDC બસ ડેપો ખાતેથી મળી રહેશ. કોઈ કંપની કે સંસ્થાના 50 મુસાફરો હશે, તો પણ ST વિભાગ બસની ફાળવણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.