ETV Bharat / entertainment

આખરે સમય રૈનાએ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ પર મૌન તોડ્યું, જાણો શું કહ્યું... - INDIAS GOT LATENT CONTROVERSY

આખરે સમય રૈનાએ 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ આ મામલે તેમનું શું કહેવું છે...

સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈના
સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈના (ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2025, 10:26 AM IST

હૈદરાબાદ : 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણીએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. આ કેસમાં રણવીર અલ્હાબાદિયા અને શોમાં જજ રહેલા કોમેડિયન સમય રૈના સહિત અન્ય લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખીને રણવીરે તરત જ એક વીડિયો પોસ્ટ કર્યો અને લોકોની માફી માંગી. હવે લગભગ 4 દિવસ પછી સમય રૈનાએ પણ મૌન તોડ્યું અને પોતાનો પક્ષ રજૂ કર્યો...

આખરે સમય રૈનાએ મૌન તોડ્યું...

સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નિવેદન શેર કરતા કહ્યું કે, "તેણે પોતાની ચેનલ પરથી શોના તમામ વીડિયો હટાવી દીધા છે અને તે અધિકારીઓને 'સંપૂર્ણ સહકાર' આપી રહ્યો છે. સમય રૈનાએ એમ પણ કહ્યું કે, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોનું મનોરંજન કરવાનો છે."

સમય રૈનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, 'જે પણ થઈ રહ્યું છે તે મારા માટે વધુ છે. મેં મારી ચેનલ પરથી ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ વિડીયો હટાવી દીધા છે. મારો એક જ ઉદ્દેશ્ય છે અને તે છે લોકોને હસાવવા અને તેમને સારો સમય આપવાનો. તેમની પૂછપરછ સંપૂર્ણપણે ન્યાયી છે તેની ખાતરી કરવા માટે હું તમામ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ. આભાર.'

શું છે સમગ્ર વિવાદ ?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના તાજેતરના એપિસોડમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણી લોકોને પસંદ ન આવી. આ ઘટના બાદ રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ મુખીજા, કોમેડિયન સમય રૈના અને ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજક વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  1. I'm Sorry...રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી, કહ્યું, 'હું કોમેડિયન નથી..'
  2. રણવીર અલ્હાબાદિયા-સમય રૈનાને મુંબઈ પોલીસનું સમન્સ,ટીમ ઘરેથી રવાના

હૈદરાબાદ : 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણીએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. આ કેસમાં રણવીર અલ્હાબાદિયા અને શોમાં જજ રહેલા કોમેડિયન સમય રૈના સહિત અન્ય લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખીને રણવીરે તરત જ એક વીડિયો પોસ્ટ કર્યો અને લોકોની માફી માંગી. હવે લગભગ 4 દિવસ પછી સમય રૈનાએ પણ મૌન તોડ્યું અને પોતાનો પક્ષ રજૂ કર્યો...

આખરે સમય રૈનાએ મૌન તોડ્યું...

સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક નિવેદન શેર કરતા કહ્યું કે, "તેણે પોતાની ચેનલ પરથી શોના તમામ વીડિયો હટાવી દીધા છે અને તે અધિકારીઓને 'સંપૂર્ણ સહકાર' આપી રહ્યો છે. સમય રૈનાએ એમ પણ કહ્યું કે, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોનું મનોરંજન કરવાનો છે."

સમય રૈનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, 'જે પણ થઈ રહ્યું છે તે મારા માટે વધુ છે. મેં મારી ચેનલ પરથી ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના તમામ વિડીયો હટાવી દીધા છે. મારો એક જ ઉદ્દેશ્ય છે અને તે છે લોકોને હસાવવા અને તેમને સારો સમય આપવાનો. તેમની પૂછપરછ સંપૂર્ણપણે ન્યાયી છે તેની ખાતરી કરવા માટે હું તમામ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ. આભાર.'

શું છે સમગ્ર વિવાદ ?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના તાજેતરના એપિસોડમાં યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની અભદ્ર ટિપ્પણી લોકોને પસંદ ન આવી. આ ઘટના બાદ રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા પ્રભાવક અપૂર્વ મુખીજા, કોમેડિયન સમય રૈના અને ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટના આયોજક વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

  1. I'm Sorry...રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી, કહ્યું, 'હું કોમેડિયન નથી..'
  2. રણવીર અલ્હાબાદિયા-સમય રૈનાને મુંબઈ પોલીસનું સમન્સ,ટીમ ઘરેથી રવાના
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.