પોરબંદર- રાજકોટ હાઇવે પર અકસ્માત સર્જાયો: કાર સાથે ખુટિયો અથડાતા ખુટિયાનું મોત

By

Published : Sep 18, 2020, 11:08 PM IST

thumbnail
પોરબંદરઃ જિલ્લાના રાણવાવ નજીકથી નીકળતા પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે પર ગત રાત્રીના સમયે ખુટિયા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ખુટિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને કાર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતા જ નેશનલ હાઇવે ઓથોરિટીની ઈમરજન્સી વાન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો ત્યારે અવારનવાર બનતા અકસ્માતના કારણે માનવ કે પશુની જીંદગી ન જોખમાય તેવી રીતે સ્ટ્રીટલાઇટો અથવા રેડિયમ પટ્ટીઓ વધુ લગાવવામાં આવે અને આ સમસ્યાનું યોગ્ય નિકાલ લાવવા લોકોએ માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.