વાંકાનેરના જાલીડા ગામ નજીક દીપડાનું અકસ્માતમાં મોત
મોરબી: વાંકાનેરના ગારીડા ગામના બોર્ડ નજીક આવેલા મોગલ માતાજીના મંદિર પાસે દિપડાનું કોઈ અજાણ્યા વાહન ચાલક સાથે ટક્કર થતા મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડી આવ્યું હતુ અને દીપડાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે અંગે વન અધિકારી સી.વી.સણજા સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે દીપડાને મોઢાના ભાગે વધુ ઇજા પહોંચાતા તેનું મોત થયાનું જણાવ્યું હતું. આ ઘટનાને લઇને વન વિભાગ ક્યા વાહનચાલકે અકસ્માત સર્જયો તે કોણ હતો તેની પણ શોધખોળ કરી રહી છે.