નવરાત્રિ માટે અમદાવાદી ખેલૈયાઓનું રિહર્સલ, જૂઓ વીડિયો... - અમદાવાદનુ પ્રખ્યાત પનઘટ ગરબા ગ્રુપ
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ નવરાત્રિને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ મન મૂકીને ખેલૈયાઓ ગરબા રમવા માટેની તૈયાર બેઠા છે. અમદાવાદનુ પ્રખ્યાત પનઘટ ગરબા ગ્રુપ દ્વારા કચ્છી બાંધણીની ચણિયાચોરી તેમજ કચ્છી કેડિયા સાથે અને નવા અંદાજમાં ખેલૈયાઓએ અમદાવાદની ખ્યાતનામ હોટલમાં રિહર્સલના ભાગરૂપે અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. નવરાત્રિમાં કદાચ વરસાદ વિઘ્નરૂપ બની શકે તે પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ખેલૈયાઓએ પ્લાસ્ટિક રેનકોટ પણ લઇ રાખ્યા છે. કોઈપણ ભોગે ખેલૈયાઓ ગરબામાં કોઇપણ કચાશ રાખવા માંગતા નથી.