ભાદરવી પૂનમ નિમિત્તે દર્શને આવતાં ભક્તો માટે 42 લાખ પ્રસાદ પેકેટ તૈયાર - ભક્તો માટે 42 લાખ પ્રસાદ પેકેટ તૈયાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 8, 2022, 5:49 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે દર્શનાર્થે આવતા ( Bhadarvi Poonam Fair )ભાવિક ભક્તોને પ્રસાદ સરળતાથી મળે રહે તે માટે મંદિર પ્રશાસન ( Ambaji Devsthan Temple Trust ) તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મા અંબાના ભક્તો માટે સાડાત્રણ લાખ કિલોગ્રામ પ્રસાદના બેતાલીસ લાખથી વધુ પેકેટ ( 42 Lakh Ambaji Prasad Packets ) તૈયાર કરાયા છે. વિશ્વના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં ( Bhadarvi Poonam Melo 2022 ) લાખો શ્રદ્ધાળુઓ મા જગદંબાના ચરણોમાં શિશ નમાવવા આવી રહ્યા છે. જેને લઇને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તમામ સુવિધાઓ મળી રહે અને સુદ્રઢ આયોજન કર્યું છે. અંબાજી મંદિર ખાતે 12 પ્રસાદ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. જ્યાં મેળામાં આવતા તમામ પદયાત્રીઓને પ્રસાદ મળી રહે તે માટે 42 લાખ પેકેટ તૈયાર કર્યા છે. આ વ્યવસ્થા જોઈ દુબઈથી આવેલ દર્શનાર્થી ( Devotees From Dubai ) પ્રભાવિત થઈ પ્રશંસા કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.