Republic Day 2024: 75માં ગણતંત્ર દિવસે સોમનાથ મંદિર રંગાયું તિરંગાના રંગે, વીડિયો - Somnath temple painted in tricolor

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jan 26, 2024, 10:10 PM IST

સોમનાથ: આજે સમગ્ર દેશમાં 75 મો ગણતંત્ર પર્વ મનાવવામાં આવી રહ્યું છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પરિસરને તિરંગાના શણગારથી દેશભક્તિના માહોલમાં રંગી દેવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી દર વર્ષે અનેકવિધ પ્રકારે થતી હોય છે. જેમાં ગણતંત્ર અને આઝાદીના પર્વને ધ્યાને રાખીને સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શણગાર પણ કરાતો હોય છે ત્યારે આજે ગણતંત્ર દિવસના અવસરે સમગ્ર મંદિર પરિસરને ત્રિરંગાના રંગે રંગીને રાષ્ટ્રભક્તિમાં જાણે કે મહાદેવ પણ ગળાડુબ બન્યા હોય તે પ્રકારનું માહોલ જોવા મળ્યો હતો. આ ક્ષણે સોમનાથ સહીત સમગ્ર ગુજરાતના વાસીઓ આ ચિત્ર જોઈને અભિભૂત થયા હતા. ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના પર્વ નિમિતે સવારે ધ્વજવંદન કાર્યક્રમ પણ યોજાયો હતો.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.