અમદાવાદમાં શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન, જાણીતા કલાકારોએ પોતાની કળાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા - સિતારવાગક અમાન અલી બંગસ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-02-2024/640-480-20847294-thumbnail-16x9-.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Feb 26, 2024, 8:06 PM IST
અમદાવાદ: 26મી ફેબ્રુઆરી એ સપ્તકના સ્થાપક અને બનારસ ઘરાનાના જાણીતા તબલાવાદક પંડિત નંદન મહેતાની જન્મ તારીખ છે. સપ્તક એ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગુજરાત સરકારના સહયોગથી પંડિતની સ્મૃતિમાં દર વર્ષે અખિલ ભારતીય કક્ષાની તબલા-પખવાજ સ્પર્ધાનું આયોજન કરવાની પહેલ કરી છે. જેનું નામ 'પં. નંદન મહેતા શાસ્ત્રીય તાલ-વાદ્ય સ્પર્ધા' રાખવામાં આવી છે. આ સ્પર્ધા દર વર્ષે 24 અને 25 ફેબ્રુઆરીએ યોજવામાં આવે છે, ત્યારબાદ 26 ફેબ્રુઆરીના રોજ પ્રખ્યાત કલાકારો દ્વારા ગાયન કરવામાં આવે છે. ન્યાયાધીશોની પેનલમાં દેશના સ્થાપિત અને પ્રખ્યાત કલાકારોનો સમાવેશ થાય છે. જે અંતર્ગત અમદાવાદમાં ઈન્કમટેક્સ રોડ ઉપર દિનેશ હોલ ખાતે 11મા પંડિત નંદન શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જાણીતા સરોદ આર્ટિસ્ટ અમન અલી બંગાશ અને તબલા આર્ટિસ્ટ તન્મય બોઝ, તથા તબલા સોલો પર્ફોર્મન્સમાં યોગેશ સમસી સાથે તન્મય દેવચકે અનોખી સુરાવલીઓનું રસપાન કરાવ્યું હતું.