thumbnail

પુરીથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા LIVE, લાખો ભાવિકો ઉમટ્યા... - Odisha Rathyatra 2024 live

By ETV Bharat Gujarati Team

Published : Jul 7, 2024, 9:11 AM IST

Updated : Jul 7, 2024, 7:35 PM IST

પુરી: ઓડિશાના પુરી સ્થિત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો છે.  અહીં ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સુંદર શણગારેલા રથ સાથે નગરચર્યાએ નીકળ્યાં છે. દેશ અને વિદેશમાંથી ભાવિકો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવા માટે આવ્યાં છે. પુરી જ્યાં જુઓ ત્યાં માનવ મેહરામણ દેખાઈ રહ્યું છે. કહી શકાય કે સમગ્ર પુરી જ નહીં પરંતુ ઓડિશા જગન્નાથમય બની ગયું છે. તો બીજી તરફ મંદિર ટ્રસ્ટ અને ઓડિશાની ભાજપ સરકાર અને પોલીસ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, ઓડિશામાં વર્ષોથી ચાલી આવતી આ રથયાત્રા દેશની સૌથી મોટી રથયાત્રા છે જેમાં ન માત્ર ઓડિશા પરંતુ અન્ય રાજ્યોમાંથી અને વિદેશમાં વસેલા ભારતીયો પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન કરવા માટે આવે છે. 
Last Updated : Jul 7, 2024, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.