આદિવાસી સમાજ છવાયો, અંબાજી નર્સિંગ કોલેજમાં 80 ટકા આદિવાસી વિદ્યાર્થીઓ - World Tribal Day 2024

By ETV Bharat Gujarati Team

Published : Aug 10, 2024, 9:03 PM IST

thumbnail
અંબાજી નર્સિંગ કોલેજમાં છવાયો આદિવાસી સમાજ (ETV Bharat Reporter)

મહેસાણા : વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત મહેસાણા નજીક આવેલી નર્સિંગ કોલેજમાં આયોજીત કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો હતો. આ કોલેજમાં 1,500 વિદ્યાર્થીઓ પૈકી 80 ટકા આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. વળી આ 80 ટકા વિદ્યાર્થીઓમાં પણ 60 ટકા વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. આમ સરકારનું બેટી પઢાવો સૂત્ર પણ સાર્થક થતું જોવા મળી રહ્યું છે. અહીં નર્સિંગ, BSc., B.C.A., MSc, કોમર્સ , MLT સહિતના અભ્યાસમાં આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનો દબદબો વધ્યો છે. એટલે કે, આદિવાસી સમાજ એજ્યુકેશનમાં આગળ વધી રહ્યો છે. નર્સિંગ કોલેજમાં આયોજીત આ કાર્યક્રમમાં પહેલી નજરે જ આદિવાસી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મહત્તમ સહાયની પ્રોત્સાહનની અસર જોવા મળી રહી હતી. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.