જૈન તીર્થનગરી પાલીતાણા પર થયા મેઘરાજા મહેરબાન, નદીમાં નવા નીર થયા વહેતા - rain in palitana

By ETV Bharat Gujarati Team

Published : Jun 24, 2024, 8:34 AM IST

thumbnail
પાલીતાણા શહેર પર બપોર અંદાજીત દોઢ કલાક ધમાકેદાર વરસાદ વરસ્યો (etv bharat gujarat)

ભાવનગર: તીર્થનગરી પાલીતાણા શહેર પર બપોર પછી વાતાવરણમાં પલટો આવતા સાંજના 4 વાગ્યાથી  5.30 સુધી અંદાજીત દોઢ કલાક ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. પાલીતાણા શહેરમાં વરસાદ પડતા રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે લીડિયામાં બે કાંઠે પાણી વહેતા થયા હતા. પાલીતાણાની ખારા નદીમાં પણ પાણીની પુષ્કળ આવક શરૂ થઈ હતી. પાલીતાણા તલાટી રોડ પર ગોઠણ સમા પાણી ભરાયા હતા. ત્યારે નીચાણવાળા વિસ્તર ચાર થાંભલા, શેત્રુંજય ગેટ, ગોરાવાડી, ગારીયાધાર રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બહારપરાનો બેઠો પુલ પરથી પાણી વહેતુ થયું હતું. પુલની ઉપર બન્ને તરફ લોખંડની સુરક્ષા માટેની રેલિંગ નહી હોવાથી પુલ પરથી પસાર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.