ભુજમાં ભારે વરસાદ અને પવનના કારણે લોકોના ઘરમાં 4થી 5 ફૂટ પાણી ભરાયાં - Rain in Bhuj - RAIN IN BHUJ
🎬 Watch Now: Feature Video


Published : Aug 30, 2024, 5:57 PM IST
કચ્છ: જિલ્લામાં છેલ્લા પાંચ દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સાથે સાથે અનેક મુશ્કેલીઓ પણ ઊભી થઈ રહી છે. એક બાજુ ભુજનું હમીરસર તળાવ તો ઓગનના પાણીથી સરપટ નાકા પાસેના જયપ્રકાશ નગર શાંતિ નગરી જેવા વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. તો ગત રાત્રે ભારે પવન સાથે વરસાદ હોતા લોકોના ઘર પરના પતરા પણ ઉડી ગયા છે. ઘરમાં ચાર થી પાંચ ફૂટ પાણી ભરાતા લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. દર વર્ષે આ વિસ્તારમાં તળાવના ઓગનના પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અહીંના સ્થાનિકોએ અનેક વખત તંત્રને કાયમી નિકાલ માટે રજૂઆત કરી છે છતાં પણ કોઈ કાયમી નિકાલ થયો નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં વરસી રહેલા વરસાદમાં નાળાની સાફ-સફાઈ બરોબર ના થયા હોવાના કારણે મોટી માત્રામાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તંત્ર દ્વારા પાણી ઉલેચવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવું સ્થાનિકોએ જણાવ્યું છે, પરંતુ સ્થાનિકોની એક જ માંગ છે કે આ સમસ્યા દર વર્ષે વરસાદી સિઝનમાં હોય છે ત્યારે આ સમસ્યાનો કાયમી નિકાલ આવે.