સેલવાસઃ આંતર રાજ્યની સરહદ ખુલી ગયા બાદ મુંબઇ અને મહારાષ્ટ્રથી આવનારા લોકોની સંખ્યા વધી છે. મહારાષ્ટ્રથી આવનારા લોકો સાથે કોરોના પોઝિટિવ દર્દીઓ પણ આવી રહ્યા છે. ત્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં શુક્રવારે મુંબઇથી આવેલા પરિવારને પ્રશાસને કોરોન્ટાઇન કર્યા બાદ માતા પિતા અને ત્રણ માસની બાળકીના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલ પૈકી ત્રણ માસની બાળકીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે માતા પિતાનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.
દાદરા નગર હવેલીમાં 3 માસની બાળકી કોરોના રીપોર્ટ પોઝિટિવ
કોરોના મહામારી દરમિયાન સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 2 કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થાયા બાદ, મહારાષ્ટ્રથી સેલવાસમાં માતા સાથે આવેલી 3 માસની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવ્યો છે. આ અંગે દાદરા નગર હવેલીના કલેકટર સંદીપ સિંઘે વિગતો આપી હતી.
![દાદરા નગર હવેલીમાં 3 માસની બાળકી કોરોના રીપોર્ટ પોઝિટિવ દાદરા નગર હવેલીમાં 3 માસની બાળકી કોરોના રીપોર્ટ પોઝિટિવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7326669-thumbnail-3x2-coro.jpg)
દાદરા નગર હવેલીમાં 3 માસની બાળકી કોરોના રીપોર્ટ પોઝિટિવ
દાદરા નગર હવેલીમાં 3 માસની બાળકી કોરોના રીપોર્ટ પોઝિટિવ
હોમિયોપેથી દવા આર્સેનીક અલ્બમ 30 (પુખ્ત વય માટે 4 અને બાળકો માટે 2 ગોળી) કોરોના વાયરસના સંક્રમણને રોકવા દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ દવાને ત્રણ દિવસ સુધી ખાલી પેટે લેવામાં અકસીર માનવામાં આવે છે.